“મરણ પછીની શાંતિ”

એ દિવસ પણ એવો જ હતો!

ઘરનો દરવાજો હંમેશાની જેમ બંધ હતો.

બહાર ઓટલાં ઉપર બેઠું હૃદય ધબકતું હતું.

અને ભીંતો શ્વાસ અંદર લઈ રહી હતી.

અંદરથી કોઈના બોલાયેલા શબ્દોના પડઘા બહાર સુધી સંભળાતા હતા એને!

***

એ દિવસે પણ માણસ રોજની જેમ બેઠો છે,પગ ઘૂંટણ પર મુકીને.

કોઇઈ બોલાચલી ન્હોતી થય,

ઘરમાં કઈ થયું ન્હોતું,

કોઈ કઇઈ બોલ્યુ નહોતું,

કોઈએ પોતાનું નાનુંએવું દુઃખ નહોતું વહેંચ્યું એની સાથે.

એ દિવસે એ શ્વાસ ભૂલ્યો હતો.

એ શ્વાસ ફરી પાછો ક્યારેય પાછો આવ્યો નહીં.

વિદાય લેતી વખતે પણ કોઈએ એને બોલાવ્યો નહીં.

ઘરના લોકો બોલ્યા:

આમ તો મજામા હતો એ,

થોડા દિવસથી વધારે શાંત રહેવા લાગ્યો તો,

થોડા દિવસથી બહુ ઓછું બોલતો હતો.

હસતો પણ નહોતો….

એ બહુ પેલા મરી ગયો હતો….બસ ખબર હમણાં પડી.

***

એ હવે ફોટામાં છે.

કાચથી મઢેલી ફોટો ફ્રેમમાં, એક હારની પાછળ, દીવાલ પર.

એની આંખો ખૂલી છે,

પણ હવે એ જોઈ શકતો નથી.

મોઢું હોવા છતાં બોલતો નથી.

મરણ પછી માણસ ને કેટલી શાંતિ હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top